Wednesday, May 1, 2024

HSC BOARD EXAM BA 046 MOST IMP QUESTION

 આગામી બોર્ડની પરીક્ષામાં નીચે આપેલ પ્રશ્નો તૈયાર કરી 69 માર્કસ મેળવી શકશો.

વિભાગ B

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)


Chep 1 ના પ્રશ્નો


1. B.B.A. નું પૂરું નામ જણાવો.


2. ડૉ. જ્યૉર્જ આર. ટેરી મુજબ 6M એટલે શું ?


3. વ્યવસાયની લાક્ષણિકતાઓ જણાવો.


4. ધંધામાં નાણાની જરૂર કયારે પડે છે ?


5. કળા એટલે શું ?


6. સંચાલનમાં કેન્દ્રસ્થાને કોણ હોય છે ?


7. વ્યવસાય એટલે શું ?


8. સંચાલનની વિવિધ સપાટીઓના નામ જણાવો.


9. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી કઈ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત છે ?


10. મધ્યસપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે ?


11. તળ સપાટી બીજા કયા નામે ઓળખાય છે ?


12. યંત્ર વિન્યાસ એટલે શું ?


13. વહીવટનું કાર્ય કઇ સપાટીએ વધુ હોય છે ?


14. સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો.


15. માર્કેટીંગ સંચાલન એટલે શું ?


16. H.R.M. નું વિસ્તૃત રૂપ આપો.


17. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે ?


18. I.I.M. નું વિસ્તૃત રૂપ લખો.


19. M.B.A. નું વિસ્તૃત રૂપ લખો.


20. C.E.O. નું વિસ્તૃત રૂપ લખો.


22. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે ?


23. યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે ?




Chep 3 ના પ્રશ્નો


1. આયોજન કયાં-કયાં ક્ષેત્રમાં જોવા મળે છે ?


2. O.R. નું વિસ્તૃત રૂપ આપો.


3. સંચાલનનું પ્રથમ અને અંતિમ કાર્ય જણાવો.


4. 'જુઓ અને આગળ વધો' નો સિદ્ધાંત કક્યારે અપનાવાય છે ?


5. અંદાજપત્રના પ્રકારો જણાવો.


6. આયોજનમાં કયાં કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે ?


7. આયોજનના આધારો જણાવો.


8. પદ્ધતિ એટલે શું ?


9. આયોજનની પૂર્વ શરત કઈ છે ?


10. આયોજન માટે કઈ બાબતો ધ્યાનમાં રાખી પૂર્વાનુમાન કરવામાં આવે છે ?


11. સુનિયોજિત યોજનાઓનો સમયગાળો કેટલો હોય છે ?


12. આયોજનમાં અનુમાનો અને પૂર્વધારણાઓ માટે કઈ પદ્ધતિઓ અને માહિતીનો ઉપયોગ થાય છે ?


13. કઈ બાબત આયોજનની સફળતાને અવરોધે છે ?


14. ધંધાકીય એકમના ધ્યેય કેવાં હોવા જોઈએ ?


15. કાર્યક્રમ એટલે શું ?


16. આયોજનનાં ઘટકો જણાવો.


17. આયોજનની મર્યાદાઓ જણાવો. (કોઈપણ બે)


18. વ્યૂહાત્મક યોજના એટલે શું ?


19. કાર્યકારી યોજના કોને કહે છે ?


20. આકસ્મિક યોજના એટલે શું ?


21. આયોજન એટલે શું ?


22. 'જુઓ અને આગળ વધો' નો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે.


23. અંદાજપત્રના પ્રકારો જણાવો.


24. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ?


25. આયોજન કયા-કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?



Chep 10 ના પ્રશ્નો


1. માર્કેટિંગ મિશ્ર ના 4P કયા નામે ઓળખવામાં આવે છે?


2. BIS ની કામગીરી જણાવો.


3. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું ?


4. બ્રાન્ડિંગ એટલે શું?


5. પ્રસિદ્ધિનો અર્થ આપો.


6. વેચાણવૃદ્ધિ એટલે શું?


7. અભિવૃદ્ધિના તત્ત્વો(ઘટકો) જણાવો.


8. બજારીય મિશ્ર એટલે શું ?


9. કિંમતને અસર કરતા પરિબળો જણાવો. (કોઈપણ બે)


10. લેબલિંગ એટલે શું ?


11. માર્કેટીંગ મિશ્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?


12. જાહેર સંપર્ક એટલે શું ?


13. વેચાણ-વૃદ્ધિ એટલે શું ?


14. બ્રાન્ડિંગ એટલે શું ?


15. પ્રસિદ્ધિનો અર્થ આપો ?


16. અભિવૃદ્ધિ મિશ્ર કોને કહેવાય?




વિભાગ C


નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)


Chep 1 ના પ્રશ્નો


1. સંચાલન એટલે શું ?


2. સંચાલનની ઉચ્ચ સપાટીએ થતાં કોઈપણ બે કાર્યો જણાવો.


3. સંચાલનથી સમાજને કયા લાભ મળે છે ?


4. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે ?


5. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?


6. મધ્ય સપાટીના કાર્યો જણાવો. (કોઈપણ બે)


7. માનવ સંસાધન સંચાલન એટલે શું ?


8. "સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે” - સમજાવો.


9. “સંચાલન એ વિજ્ઞાન છે” – સમજાવો.


10. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો કોનો સમાવેશ થાય છે ?


11. સંચાલનથી સમાજને કયા લાભ મળે છે ?


12. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?


13. સંકલનનો અર્થ આપો.



Chep 3 ના પ્રશ્નો


1. હેતુ-નિર્ધારણ એટલે શું ?


2. વ્યૂહરચના શા માટે જરૂરી છે ?


3. આયોજનનાં ઘટકો જણાવો.


4. ગૌણ યોજના કોને કહેવાય ?


5. નીતિ એટલે શું ?


6. “આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે." - સમજાવો.


7. આયોજનને અસર કરતા પરિબળો જણાવો.


8. આયોજન એ પસંદગીનું કાર્ય છે - સમજાવો.


9. ગૌણ યોજના કોને કહેવાય ?


10. નીતિ એટલે શું ?


11. આયોજન ખર્ચાળ છે. શા માટે ?



Chep 5 ના પ્રશ્નો


1. વિકાસ એટલે શું ?


2. ભરતી એટલે શું ?


3. તાલીમનો અર્થ આપો.


4. પસંદગીની વિધિના તબક્કા જણાવો.


5. પ્રતિક્ષા યાદી સમજાવો.


6. બૌદ્ધિક ક્સોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય ?


7. ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય ?


8. બઢતી સાથે બદલી એટલે શું ?


9. રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી ટૂંકમાં સમજાવો.


10. પ્રતિક્ષા યાદી એટલે શું?


11. ભરતીના કોઈ પણ ચાર બાહ્ય પ્રાપ્તિસાધનોનાં નામ લખો.


12. તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે' - વિધાન સમજાવો.


13. તાલીમ અને વિકાસ વચ્ચે તફાવતના બે- બે મુદ્દા જણાવો.


14. કર્મચારીની પસંદગી માટે લેવાતી કસોટીના નામ જણાવો.


15. વિકાસ એટલે શું?


16. ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનોના નામ લખો.


17. તાલીમનો અર્થ આપો.


18. ભરતી એટલે શું?


19. બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે?


20. ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે?



Chep 6 ના પ્રશ્નો


1. સારા નેતાના બૌદ્ધિક ગુણો જણાવો.


2. આત્મસિધ્ધિની જરૂરિયાત એટલે શું ? તેનું કોઈ એક ઉદાહરણ લખો.


3. અનૌપચારિક માહિતીસંચાર એટલે શું ?


4. નેતૃત્વનો અર્થ આપો.


5. કર્મચારી કલ્યાણ કારક પ્રવૃત્તિ અને સુવિધાઓમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે?


6. માલોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ દ્વારા દર્શાવો.


7. દોરવણીના તત્ત્વોની યાદી આપો.


8. પ્રોત્સાહનનો અર્થ સમજાવો.


9. સહભાગીદારી એટલે શું ?


10. માહિતીસંચારની પધ્ધતિઓમાં દૃશ્ય અને શ્રાવ્ય સાધનોના નામ આપો.


11. અભિપ્રેરણથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કઈ રીતે ?


12. નિરીક્ષણ એટલે શું ?


13. બૌદ્ધિક ગુણોમાં કયા કૌશલ્યો જોવા મળે છે ?


14. માહિતીસંચારના શ્રાવ્ય સાધનો જણાવો.


15. નાણાકીય પ્રોત્સાહનોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?


16. દોરવણીનાં તત્ત્વોની યાદી આપો.


17. અભિપ્રેરણ એટલે શું ?


18. પ્રોત્સાહનનો અર્થ સમજાવો.


19. "નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે.” -વિધાન સમજાવો.



Chep 10 ના પ્રશ્નો


1. લેબલિંગના ચાર કર્યો જણાવો.


2. સારા વેચાણકર્તાની કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ જણાવો.


3. બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના સમજાવો.


4. માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે?


5. વિતરણના માધ્યમો (પ્રકારો) જણાવો.


6. બજાર સંશોધનનો અર્થ આપો.


7. પેદાશ વિભાવનાની સમજ આપો.


8. માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેમાં શેનો સમાવેશ થાય છે.


9. લેબલિંગના ઉપયોગો જણાવો.



વિભાગ D


નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ)


Chep 1 ના પ્રશ્નો


1. સંચાલનનું મહત્ત્વ જણાવો.


2. 'સંચાલન એક વ્યવસાય છે' - સમજાવો.


3. ઉચ્ચ સપાટી સંચાલનનાં કાર્યો જણાવો.


4. સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના મુદ્દાઓ લખો.


5. સંચાલન એટલે શું ? તેની લાક્ષણિકતાઓ સમજાવો.


6. “સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે" - સમજાવો.


7. "સંચાલન એક વ્યવસાય છે." - સમજાવો.


8. સંચાલનનું મહત્ત્વ સમજાવો.


9. માર્કેટિંગ (બજારીય) સંચાલનનો અર્થ આપી તેના કાર્યોની ટૂંકમાં સમજૂતી લખો.


10. ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો.


11. માનવ સંસાધનનું મહત્ત્વ જણાવો.


12. સંચાલનની તળ સપાટીના કાર્યો જણાવો.


13. 'સંચાલન એ વ્યવસાય છે.' – સમજાવો.


14. નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. 


15. સંચાલનની વિવિધ સપાટીઓના નામ આપી આકૃતિ દોરો.


16. સંકલનનું મહત્ત્વ જણાવો.


17. મધ્યસપાટી અને તળસપાટી સંચાલન વચ્ચેના તફાવતના કોઈ પણ છ મુદ્દા લખો.



Chep 10 ના પ્રશ્નો


1. બજારીય પ્રક્રિયા અને વેચાણ તફાવતના ત્રણ મુદ્દા જણાવો.


2. બ્રાન્ડિંગની છ લાક્ષણિકતાઓ જણાવો.


3. જાહેરાતના કાર્યો સમજાવો.


4. કિંમતને અસર કરતાં ત્રણ પરિબળોની ચર્ચા કરો.


5. વેચાણ-વૃદ્ધિની છ પ્રયુક્તિઓ ટૂંકમાં સમજાવો.


6. બજાર પ્રક્રિયાની આકૃતિ દોરો.


7. જાહેરાત સામે વિરોધ વિશે ટૂંકનોંધ લખો.


8. જાહેરાત સંપર્કમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.


9. સારા વેચાણકર્તાના લક્ષણો જણાવો.


10. પેદાશની કિંમતને અસર કરતાં પરિબળો સમજાવો.



વિભાગ E


નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 5 ગુણ)


Chep 3


1. આયોજનની પ્રક્રિયા સમજાવો ?


2. આયોજનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.



Chep: 5


1. કર્મચારી વ્યવસ્થાને સ્પષ્ટ કરી તેનું મહત્ત્વ સમજાવો.


2. ભરતીનો અર્થ આપી તેનાં આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો.


3. ભરતીના પ્રાપ્તિ સ્થાન જણાવી બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની વિગતે સમજ આપો.


4. પસંદગી ની પ્રક્રિયા સમજાવો.


5. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેનાં લક્ષણો જણાવો.


6. તાલીમ એટલે શું ? તેનું મહત્ત્વ સમજાવો .


7. તાલીમ અને વિકાસ વચ્ચે તફાવત સમજાવો.



Chep: 6


1. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ સમજાવો.


2. નાણાકીય અને બિન-નાણાકીય પ્રોત્સાહનો સમજાવો.


3. દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.


4. માહિતીસંચારના અવરોધો સમજાવો.


5. વૈધિક અને અવૈધિક માહિતીસંચારનો તફાવત જણાવો.


6. અભિપ્રેરણનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો.


7. માહિતીસંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.


Monday, April 22, 2024

ઉત્તર વાહિની નર્મદા મૈયાની પરિક્રમા

  વર્ષોથી મનમાં થયા કરતું હતું કે માં નર્મદાની પરિક્રમા કરૂ પરંતુ સમય અને સંજોગો અનુકૂળ થતા નહોતા કોઈકે સાચું જ કહ્યું છે કે પરિક્રમા એ જ કરી શકે જેને માં પોતાના તીરે  બોલાવે. ? આમ તો હું સંસારમાં રહેતો અલગારી જીવ થોડામાં ઘણું માની મસ્તીથી જીવવું એ જ અભિલાષા અને સિદ્ધાંત હમણાં હમણાં ઘણી વાર ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરી અને મા અંબા ના ગબ્બરની 52 શક્તિપીઠ ની પરિક્રમા પણ કરી સાથે સાથે કોઈપણ ધાર્મિક સ્થાન ના દર્શન કરવા મને ખૂબ ગમે જેથી ઘણીવાર કાઠીયાવાડ માં રહેલા આપણા ધાર્મિક અને આધ્યાત્મિક સ્થાનોની મુલાકાત લેવાનું ગમે મારો જન્મ કાંકરેજ તાલુકાના નાનકડા ગામ કસલપુરામાં થયો છે અને મારા ઘરથી બનાસ નદી થોડા જ અંતરે વહે છે અમે નાના હતા ત્યારે એમાં બારેમાસ પાણી વહેતું અને અમે ખૂબ જ નહાતા અને રમતા એ જૂની યાદો અને પ્રકૃતિ જોડેનો મારો નાતો ખૂબ જ પુરાણો સાથે સાથે ઘરમાં ધાર્મિક વાતાવરણના કારણે પુરાતન સ્થાપત્ય શિલ્પો મંદિરો નદીઓ અને પર્વતો પ્રત્યે પ્રગાઢ વળગણ 

       આવી મનોસ્થિતિ ના કારણે વર્ષોથી થતું હતું કે મા નર્મદા ની પરિક્રમા જરૂર કરવી છે કેમકે મ રેવા અહીં પણ આપણા ઉત્તર ગુજરાત રાજસ્થાન અને કચ્છ જિલ્લા સુધીની જીવાદોરી નું કામ કરે છેઃ એટલે હવે (નદી નહીં કહું) માં રેવા ના દર્શને જઈને માનો સાક્ષાતકાર કરવો છે એવી અદમ્ય ઈચ્છા હતી 

              એવામાં જ અત્યારે ત્યાં જવા માટેની જે લાગણીઓ હતી એ હવે શાંત થતી નહોતી એ ઊર્મિઓનો વેગ હવે સહી ના શકાય એટલો પ્રચંડ બની ગયો અને મે જવાનું નક્કી જ કરી લીધું 

મા રેવાની પંચકોષી ઉત્તરવાહિની પરિક્રમા ચૈત્ર મહિનામાં શરૂ થાય છે એ જાણીને ખૂબ જ આનંદની લાગણી થઈ અને જવા માટેની બધી જ તૈયારી કરી લીધી ત્યાં ગરમી ન લાગે એટલા માટે ટોપી ઝભ્ભો કેનવાસના બુટ રાત્રી રોકાણ કરવા માટેનો સામાન બધી જ તૈયારી કરીને સવારે વહેલા પ્રભાતે ગાડી લઈને નીકળ્યા એ વખતનો આનંદ શબ્દો દ્વારા વર્ણવી શકાય એવો નથી કોઈ કવિ શ્રી એ કહ્યું છે ને કે 

  ઘટમાં ઘોડા થનગને આતમ વિઝે પાંખ વણ દીઠેલી ભોમ પર યોવન માડે આંખ 

            આવી મનોદશામ માં માની પરિકરમાં સ્થળે પહોંચવા નીકળી પડ્યા પાટણથી શરૂઆત કરી વચ્ચે ડાકોર શ્રી રણછોડરાયના દર્શન કર્યા અને બપોરે તો છેક ગરુડેશ્વર દત્ત ભગવાનના મંદિરે પહોંચી ગયા ત્યાંથી પરિક્રમા જવાના રૂટ ની શરૂઆત થાય છે એ ગામ જુના રામપુરા પહોંચવાનું હતું લગભગ ચાર વાગે ત્યાં પહોંચ્યા જ્યાંથી માં નર્મદા મૈયાની ઉત્તરકોશી પરિક્રમા શરૂ થાય છે અને લોકો ત્યાંથી પરિક્રમા ની શરૂઆત કરે છે ત્યાં પહોંચીને જોઉં છું તો 

     અ હા હા ?? શું મનોહર દ્રશ્ય છે ત્યાંનું ભેખડ ઉપર ઉભા રહીને જોઈએ તો એક બાજુ સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજી બાજુ તિલકવાડા કે જ્યાં સુધીની પરિક્રમા કરવાની હતી એ સ્થળ સ્પષ્ટ થયું. ઘણા વર્ષોથી જોયેલ સ્વપ્ન સાકાર થતું હતું આટલા બધા કિલોમીટર ગાડી સતત ચલાવી હોવા છતાં થાકનું કોઈ નામો નિશાન ન હતું. આમ તો બે કલાક સતત ગાડી ચલાવું તો પણ થાક લાગે પરંતુ આજે સતત સાત કલાક ગાડી ચલાવી હોવા છતાં થાક કંટાળો કે આળસ નું જાણે કે કોઈ અસ્તિત્વ જ ન હતું આ ને મા રેવાનો સાક્ષાત્કાર જ કહીઁ શકુ 

    માં રેવાના તીરે ઉભો રહીને જોઉં છું તો ઊંચી ઊંચી ભેખડો જેની ક્યારેય કલ્પના પણ નહોતી કરી એવા ઘટાદાર વૃક્ષો કિનારાને અડીને અડીખમ ઉભેલ આશ્રમો અને ભગવાન રણછોડરાયનું મંદિર બાજુમાં જ આવેલ યોગાનંદ આશ્રમ અને માં રેવાનું પવિત્ર અને પુણ્યશાળી વાતાવરણ  અજબ શાંતિ આપી રહ્યું હતું માનો પટ નિહાળતા નિહાળતા ઘણો સમય વીતી ગયો જેનું ભાન જ ન રહ્યું

              સાંજની સંધ્યા આરતીની ઝાલર વાગી અને એ સંભળાણી ત્યારે જ લાગ્યું કે સાંજ થઈ ચૂકી છે અને હું જાગ્રત અવસ્થામાં આવ્યો મન તંદરામાંથી જાગૃત થયું જાણે (સમાધિ લાગી ગઈ ) હતી તે દૂર થઈ 

         સૌની સાથે રણછોડરાય ભગવાનની આરતીના દર્શન કરી એમાં સહભાગી થવા પગ ઉપાડ્યા રામપુરા ગામનું આ મંદિર નવું છે  ભગવાનના દર્શન કર્યા આરતી લીધી અને સાંજ થઈ અંધારાના ઓળા ધરતી પર ઉતરવા લાગ્યા હવે ભૂખ પણ લાગી હતી પરંતુ પ્રથમ વિચાર એ આવ્યો કે પહેલા માના પાવન પવિત્ર જળમાં સ્નાન કરું પછી જ વાળું કરીશ સાથે લાવેલ નહાવાનો સામાન લઈ નદી કિનારે ચાલ્યો  ત્યાં ફુવારા ની પણ સુંદર વ્યવસ્થા કરેલી હતી ઘણો લાંબો સમય સ્નાન કર્યુ ઠંડુ પાણી અને આખો દિવસ ગાડી ચલાવી હોવાથી નાહવાની જે મજા આવી રહી હતી એનું વર્ણન શબ્દ દ્વારા શક્ય નથી મન અને તન પ્રફુલિત થઈ ગયા નાહીને ફ્રેશ થયા પછી જમવા જવાનું હતું અહીં એક વાત ખાસ જણાવું કે જમવા માટે અહીં સુંદર વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ મંદિરો અને આશ્રમ તરફથી કરવામાં આવી હતી અહીં ત્રણ જગ્યાએ ભોજન વ્યવસ્થા હતી અમે યોગાનંદ આશ્રમ ગયા પ્રસાદમાં મોહનથાળ ખીચડી કઢી ભુંગળા અને આચાર સાથે છાશ હતી પેટ ભરીને નહીં કહું પરંતુ મન ભરીને ખાધું શુદ્ધ અને સ્વાક્તિક ભોજન માણ્યા પછી આશ્રમના દર્શન કર્યા જૂની બાંધણીનો સુંદર આશ્રમ જ્યાં સેવાભાવી લોકો પરિક્રમા વાસીઓની ખડે પગે સેવા કરી રહ્યા હતા અને પુણ્ય નું ભાથું બાંધી રહ્યા હતા એની બાજુમાં જ આવેલ રણછોડરાયનું મંદિર જ્યાં રહેવાની અને સુવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યાં રાત્રિ રોકાણ કર્યું રાત્રે મોટો અને ખુલ્લો હોલ સુવા માટે નો હતો ત્યાં ઘણા પરિક્રમા વાસીઓ સાથે સુવાની વ્યવસ્થા હતી પરંતુ આંખોમાં નીંદર આવતી નહોતી એવું લાગતું હતું કે ક્યારે સવાર થાય અને પરિક્રમા ની શરૂઆત કરું એ જ વિચારમાં પડખા ફેરવી સવારની રાહ જોઈ રહયો છું.


સાભાર :- D.K. Raval 

Wednesday, April 17, 2024

લિન્ચપિન

લિન્ચપિન એટલે કુદરતે આપેલી શક્તિ, નવીન વિચારો, આવડત, પોતાની સમજણ અને સૂઝથી કામ કરવું. એમ કરવાથી તમારી એક અલગ ઓળખ ઊભી થાય છે. જે બીજામાં ન હોય. પરિણામે તમને રિપ્લેસ ન કરી શકાય.

સરળ ભાષામાં સમજીએ તો અત્યારે જેને આપણે આધુનિક યુગ કહીએ છીએ એમાં વાસ્તવમાં કશું નવીન નથી. નોકરી હોય તો સૂચનાઓ લેવાની અને એ મુજબ કામ કરવાનું, ધંધો હોય તો એ જ ધંધો બીજા કેવી રીતે કરે છે એ જોઈને એ જ રીતે એ જ ઢબે કરવાનું, કલા હોય તો બીજા કેવી રીતે એમાં કામ કરે છે એ જોવાનું અને એમ જ આપણે પણ કરવાનું… હા, આ રીતે નોકરી, ધંધા અને કલાના ક્ષેત્ર ચાલ્યા કરે છે.

પણ તમે કદી એ વિચાર્યું છે કે કુદરત દરેક માણસને કંઈક અલગ બનાવે છે. દરેકમાં કંઈક અલગ શક્તિ મૂકે છે. તો પછી કરોડો માણસો કેમ એક જ રીતે જીવે છે ? કોઈના જીવનમાં કેમ ખાસ કંઈ ફરક નથી? જાણે સવારે મશીન ચાલ્યા કરે અને સાંજે સ્વિચ બંધ થાય એમ આખી દુનિયા સવારથી દોડે છે ને સાંજે સ્વીચ બંધ કરી હોય એમ સુઈ જાય છે. કારણ શું? કુદરતે આપેલી અલગ અલગ શક્તિ, સમજ, વિચારો એ બધાનો શું ફાયદો? એનો દુર્વ્યય નથી થતો?

હા, કેમ કે આપણે ચોકઠાઓમાં જીવવા ટેવાઈ ગયા છીએ. જે જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાનું. એમાં જીવન તો ક્યાંય ખોવાઈ ગયું છે. એક યાંત્રિક જીવન શૈલી પ્રવર્તે છે. એમાં દરેકને ભય છે કે કાલે મારી જગ્યા છીનવાઈ જશે. કેમ કે બધા એકજેવા છે. એક નોકરી કરતા માણસને ભય છે કે કાલે મારી નોકરી જશે કેમ કે, એના જેવા અનેક એમ્પ્લોઈ બેઠા છે. એક ધંધાદારીને ભય છે કે કાલે મારો ધંધો નહીં ચાલે કેમ કે, એના જેવા અનેક ધંધા છે. બલ્કે એમ કહો કે એણે એવો ધંધો ચાલુ કર્યો છે જે અનેક લોકો કરે છે, બીજા અનેક કરશે અને કોઈ પણ માણસ એ ધંધો કરી શકે છે. એક કલાકારને ભય છે કે કાલે મારું નામ નહીં રહે.કેમકે, એણે બીજા કલાકારોને જે કરતા જોયા છે એમ જ કર્યું છે અને બીજા અનેક માણસોએ ક્ષેત્રમાં આવશે.

બસ આ જ સમસ્યાના નિવારણ માટે લિન્ચપિન બનવું જરૂરી છે. લિન્ચપિન એટલે કુદરતે આપેલી શક્તિ, નવીન વિચારો, આવડત, પોતાની સમજણ અને સૂઝથી કામ કરવું. એમ કરવાથી તમારી એક અલગ ઓળખ ઊભી થાય છે. જે બીજામાં ન હોય. પરિણામે તમને રિપ્લેસ ન કરી શકાય.

કોઈ પણ નોકરી, ધંધા કે કલામાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા અને ભયમુક્ત થઈને જીવવા માટે શું જરૂરી છે તમારું લિન્ચપિન બનવું. જે બનવાની પણ જરૂર નથી. કેમ કે તમે પહેલેથી જ છો. કુદરતે તમને બનાવ્યા છે. બસ આ સિસ્ટમમાં તમે ક્યાંક ટોળાનો હિસ્સો બની ગયા છો એટલે એ ઓળખ દબાઈ ગઈ છે.


• વિકી ત્રિવેદી


સાભાર :-

Linchpin 

લેખક Seth Godin ની book 



Monday, April 8, 2024

ભવિષ્યનું એજ્યુકેશન !

શિક્ષણ વિભાગનો કોઈ દિગ્ગજમાં દિગ્ગજ શિક્ષણશાસ્ત્રી પૂરા આત્મવિશ્વાસથી કહી શકે કે, જૂન ૨૦૨૪માં ધોરણ ૧માં દાખલ થનાર વિદ્યાર્થીને આગામી સમયમાં કયું શિક્ષણ મેળવવું જોઈએ ? જેથી તેને યુવાવસ્થામાં રોજગારી મળી રહે ! દુનિયા એટલી રફ્તારથી બદલાઈ રહી છે કે, તમારે તેની સાથે કદમ મિલાવવા દોડવું પડે. 


અત્યારે જે પેઢીની ઉંમર ૫૦ પ્લસ છે તે લગભગ લગભગ આઉટ ડેટેડ થઈ ગઈ છે. આજથી સો વર્ષ પહેલાં માં-બાપ પોતાનાં પુત્રને બે પસંદગી આપતા. કાં તો ભણ અને કાં તો ખેતરે આવ. જે બાળક ખેતરે જતો તે ખેતી શીખતો. એ “ખેતી” કરીને પોતાનું આખું જીવન પસાર કરતો. એટલે કે એક જ વ્યવસાયના આધારે જીવન જીવી જતો. તેને આજીવિકા બાબતે કોઈ સંઘર્ષ કરવો પડતો નહી. હવે એક જ વ્યવસાય પકડી રાખીને જીવવું ટફ છે. 


જે કંપની વર્કરોએ સમયની સાથે પોતાને અપડેટ ન કર્યા તેઓની છટણી થઈ ગઈ. માંડ એકાદ બે વર્ષ પહેલાં ટીવી પર કોડિંગ શીખવવાની એડ આવતી હતી. આજે ચેટ જીટીપીને ટેક્સ્ટ મેસેજથી આદેશ આપો એટલે કોડિંગ તૈયાર !!! કોડિંગ શીખવાનાર કંપનીનું ખરેખર બાળમરણ થઈ ગયું. સિંગાપુર નામનો નાનકડો દેશ આ વાત બહુ પહેલાં જાણી ગયો. ત્યાંની સરકારે ૪૦ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે અપડેટેડ અભ્યાસક્રમો બનાવ્યા. આ અભ્યાસક્રમોમાં તેઓ ભણવા જાય છે. સરકારે ૨૦૨૪ના બજેટમાં તેમને સબસિડી આપવાની જાહેરાત પણ કરી દીધી. જો તેઓ અપડેટ નહી થાય તો સરકાર પર બોજો બને એમ છે. 


કરિયાણાની દુકાનો નામશેષ થવાની અણી પર છે, ડ્રાયવર લેસ કારનાં પ્રયોગો છેલ્લાં તબક્કામાં છે. AI રોબોટોએ ફેકટરીઓમાં ફરજ બજાવવાની શરૂ કરી દીધી છે. (ના કોઈ યુનિયન, ના કોઈ વીમા પોલિસી, ના કોઈ કામના કલાકો, ના કોઈ માંગણીઓ, ના કોઈ બહાનાબાજી !)  AI ડોકટરો તૈયાર થઈ રહ્યા છે. વર્ગખંડમાં પાંચ કલાક એક જ જગ્યાએ બેસીને ભણવું બોરિંગ થવા લાગ્યું છે. IKEA નામની વર્લ્ડ લાર્જેસ્ટ ફોલ્ડિંગ ફર્નિચર કંપનીએ ફોલ્ડિંગ ઘર બનાવ્યા છે. કડિયા, સુથાર, મજૂરો, આર્કિટેક બધાંની બાદબાકી ! 


SORA નામની એક વેબસાઈટ તમે જે પ્રમાણે નિર્દેશ આપો તે પ્રમાણેનો વિડીયો બનાવી આપે છે. એ પણ એટલો આબેહૂબ હોય છે કે જોનાર કહી ન શકે કે આ કોઈ AI જનરેટેડ વિડીયો છે. SORA એ ચેટ જીટીપીની જ પેટા કંપની છે. કવિઓ, લેખકો, આર્ટ ડિરેક્ટરો, સંગીતકારો થોડાંક સમયનાં મહેમાન છે. 


હવે કહો કે, એજ્યુકેશન કેવું હોવું જોઈએ ? લગભગ દસેક વર્ષ પહેલાં અમેરિકાએ ઈરાન પર માનવરહિત ડ્રોન વડે હુમલો કર્યો હતો. તે વખતે એ વાતની ખૂબ ચર્ચા થઈ કે, જો વિમાનો માનવરહિત થઈ જાય તો પાઈલોટને ઘરે બેસવાનો વારો આવે ! વાત સાચી છે. આનાથી તો બેરોજગારી વધે ! ત્યારે યુએસએના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ માનવરહિત પ્લેન ઉડાડવા માટે ત્રીસથી સો માણસનો સ્ટાફ જોઈએ !!! મતલબ ત્રણ પાઈલોટની નોકરી ખાઈને ત્રીસ માણસો માટે રોજગારી સર્જી ! તો પછી પાઈલોટની કોલેજને મારો ગોળી ને આપણે ત્રીસ માણસોની નોકરીવાળા અભ્યાસક્રમમાં જોડાઓ. 


પેટ્રોલ, ડીઝલ કાર રીપેર કરનાર ગેરેજવાળો લાંબુ નહી ખેંચે. તેણે ઈલેક્ટ્રિક વ્હીકલનું સમારકામ શીખવું પડશે .. હું તો કહું છું સાથેસાથે હાઈડ્રોજન વ્હીકલનું પણ વિચારવા માંડે. રેડિયો-ટીવી રિપેરીંગની જગ્યાએ સોલાર પેનલ રીપેરીંગ !!!



સાભાર :-

લેખક :- જે.કે.સાંઈ




Saturday, April 6, 2024

जयपुर

 जयपुर में रहने के लिए सबसे सस्ती और बढ़िया जगह। प्रेम प्रकाश विश्राम गृह, एम आई रोड, जयपुर। रेलवे स्टेशन से आधा कि.मी। ऑटो वाले को 50 से ज्यादा न दे, अंजान लोगो से ज्यादा मांगते है। जैसा की सभी जगह होता है। M.I. रोड पर आपको इतनी बढ़िया जगह, इतनी सस्ती मिल ही नही सकती। इस जगह को आप दिल्ली के कनॉट प्लेस से तुलना कर सकते है। टूरिस प्लेसिस सभी आसपास ही है। कुछ यहां के नियम है जो आपको फॉलो करने पड़ते है। #jaipur #Cheapest #best #hotel #guesthouse #dharamshala #stay #nearrailwaystation #jaipurtravel #homestay #premprakashvishramgrah

Wednesday, March 27, 2024

Lakshmi Narasimha Temple

Lakshmi Narasimha Temple - Nampally Gutta



At a distance of 2 km from Nampally Bus Stop, 4.5 km from Vemulawada Bus Stand, 3 km from Vemulawada Temple & 32 km from Karimnagar, Telangana state. 

Lakshmi Narasimha Swamy Temple is situated at Nampally Gutta.


The temple is nestled on a small hillock on the Vemulawada - Karimnagar highway. It is a small shrine dedicated to Lord Lakshmi Narasimha, an incarnation of Lord Vishnu. The idol was carved out of the rock around which the temple was built. The visitors have to walk a few hundred steps that lead to the top from nearest the parking area at bottom. The climb is little steep may take up to 15 minutes.


One the way to the Narasimha temple, there is a temple for Naga Devatha. The temple was built in a model of Snake. Visitors can enter the shrine through the snake's belly - a long, winding tunnel. There are statues depicting the story of Prahalada and Hiranyakasipu. At the end of the tunnel, the statue of Lord Narasimha killing the demon Hiranyakasipu is present. There are also a few ancient idols of Naga Devatha. At the entrance of the temple, one can find a statue of Lord Narasimha breaking his way out of a pillar.


Video

Saturday, March 23, 2024

"એ.એ...ડોહા..મરવા નિકળ્યો છે જોતો નથી.."

સત્ય ઘટના🙏

અમારી બાજુનો ફ્લેટ NRIએ વર્ષોથી લીધેલ છે...

છ મહિનાથી ઘર ખોલી કાકા કાકી રહેતા હતા....

તેમના બાળકો USA સેટ થઈ  ગયા હોવાથી હવેની

બાકી રહેલ જીંદગી... ઇન્ડિયામાં કાઢવી તેવું નક્કી કરી તેઓ અહીં રહેવા આવેલ...


મેં પણ તેઓ એકલા હોવાથી ..કીધું હતુ.. તમને કાંઈ કામકાજ હોય તો કહેજો.....ચિંતા કરતા નહીં..

કાકા કાકી આનંદી સ્વભાવના હતાં..

કોઈ..કોઈ વખત રાત્રે બેસવા આવે.... અને પૂર્વ અને પશ્ચિમની સંસ્ક્રુતિ વિશે વાતો કરે...


છ મહિના પુરા થયા હશે...એક દિવસ.. કાકા કાકી અમારે ત્યાં રાત્રે બેસવા આવ્યા ....


છ મહિના પહેલાની વાતો અને આજની તેમની વાતોમાં તફાવત દેખાતો હતો....


બેટા... હવે.. અમે ગમે ત્યારે

પાછા USA દીકરા પાસે જવાની તૈયારી કરીએ છીએે...


મેં કિધુ.. કેમ કાકા..અમારી સાથે ના ફાવ્યું....?

તમે તો કહેતા હતા હવે... અમેરિકા ફરીથી નથી જવું.. અહીંના લોકો માયાળુ..છે..

સગા.. સંબંધી... બધા અહીંયા..છે

દીકરી પણ ગામમાં... છે..

મારા જેવો પાડોશી છે...તો કઈ વાતે તમને તકલીફ પડી...


બેટા.. આ વીતેલા છ મહિનામાં.. મને બધો અનુભવ 

થઇ ગયો....મને એમ હતું...અહીં આવી એક બીજાને મળશું...

સુખ દુઃખ ની વાતો કરશું...


કોઈને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર  મળ્યો... 

બીજી વખત જાએ...

એટલે..ઠંડો આવકાર..TV ચાલુ રાખી..વચ્ચે વચ્ચે  થોડી વાત કરી લે...આપણે મનમાં બેઈજ્જતી થાય..કે આપણે અહીં ક્યાં આવ્યા....


ગામમાં દીકરી છે તો અવારનવાર આવશે..મળશે...તેવા ખ્યાલોમા હતા...પણ દિકરી મોબાઇલ કરી ખબર અંતર પૂછી લે છે...

ફોન ઉપર બધા લાગણી બતાવે ડાહી..ડાહી વાતો કરે...બેટા રૂબરૂ જઈએ ત્યારે.વર્તન બદલાઇ ગયું હોય છે..


બધા પોતપોતાની જીંદગીમા મશગુલ છે..બેટા....

નકામા લાગણીશીલ થઈને દુઃખી થવા અહીં આવ્યા..

એવું લાગી રહ્યું  છે.

તેના કરતાં જેવા છે તેવા દેખાતા...ધોળીયા સારા..બાહ્ય આડંબર તો જરા પણ નથી...


અરે શુ વાત કરું બેટા... થોડા દિવશ પહેલા....હું ગ્રીન સિગ્નલ થયા પછી...જિબ્રા..રોડ ક્રોસ કરતો હતો... તો પણ એક ગાડી સડસડાટ આવી મને ઉડાવતા રહી ગઇ.. પાછો... બારીમાથી યુવાન લાગતો છોકરો બોલ્યો..


"એ..એ...ડોહા..જોતો નથી...મરવા નીકળ્યો છે....."


હું તો બે મિનિટ સ્તબ્ધ થઈ ગયો...આ મારી કલ્પનાનો ભારત દેશ...જ્યાં યુવા પેઢીને બોલવાની પણ ભાન નથી...નાના મોટાનું જ્ઞાન નથી....ટ્રાફિક સેન્સનું નામ જ નહીં....હું શું કલ્પના કરી અહીં આવ્યો હતો....


ત્યાં ઘરડા કે બાળકને  જોઈ ગમે તે સ્પીડથી વાહન આવતું હોય..બ્રેક મારી.. તમને.. માન સાથે પહેલા જવા દે...ને અહીં..

મારા વાંક ગુના વગર ગાળો.. સાંભળવાની..

વિચારતો વિચારતો  જતો હતો..ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો... મારા ચશ્માં પડી ગયા..હું ગોતતો હતો...


ત્યાં એક મીઠો આવાજ આવ્યો...

અંકલ .." મે  આઈ હેલ્પ  યુ ?"


બેટા.. સોગંદથી કહું છું...

મને બે મિનિટ તો 

રણમા કોઈ ગુલાબ ખીલ્યું હોય ..તેવો ભાશ થયો...

અહીં છ મહિનાથી આવ્યો છું....બેટા 

May I  help you ? જેવો શબ્દ મેં નથી સાંભળ્યો..

મેં આવો મધુર ટહુકો કરનાર સામે જોયું...એક 10 થી 12 વર્ષનું  બાળક હતું....અંકલ આ તમારા ચશ્મા....

મેં માથે હાથ ફેરવી thank you કીધું....

બેટા ક્યાં રહે છે ?

અહીં હું મારા દાદા ને ત્યાં 

ક્રિસમશ વેકેશનમાં આવ્યો...છું. 


એટલે ઇન્ડિયામા નથી રહેતો ?

ના અંકલ ..અમે વાતો કરતા હતા ત્યાં તેના પાપા મમ્મી આવ્યા..હાથ જોડી બોલ્યા ..નમસ્તે અંકલ...

એકબીજાએ વાતો...કરી...છેલ્લે ઘર સુધી પણ મૂકી ગયા...


બેટા હું વિચારતો હતો...નાહકના પશ્ચિમની સંસ્ક્રુતિને  આપણે વખોડયે છીયે....ખરેખર સંસ્કાર, ડિસિપ્લિન, ભાષા..તો તે ધોળીયાઓની સારી છે...


આપણે આંધળું અનુકરણ કરવા નીકળ્યા છીએ..

ખરેખર જે શીખવાનું છે તે શીખતાં નથી...

ધોબીના કૂતરા જેવી દશા થઈ છે...


ટૂંકી ચડ્ડી કે ટીશર્ટ પહેરેથી  આધુનિક નથી થવાતું...

આજના યુવાનોને  કેમ સમજાવું.. કે વાણી ,વર્તન એ તો દેશની પ્રગતિનો પાયો છે...

જ્યાં વાણી વર્તનના  ઠેકાણા નથી ત્યાં દેશનો  ગમે તેટલો વિકાશ થાય...તે ગાંડો જ લાગે...


બેટા હજુ એ શબ્દો મને યાદ આવે છે તો હસવું  પણ આવે છે અને દુઃખ પણ થાય છે...


"એ.એ...ડોહા..મરવા નિકળ્યો છે જોતો નથી..".      આ  પોસ્ટ મને એટલી બધી સાચી લાગી કે કોપી પેસ્ટ કરી ને શેર કર્યા વિના રહી ના શકયો. ૧૦૦%  સાચી વાત છે એ  સ્વીકારવું ધણું અઘરું છે. આપણી આખી  સોસાયટી અત્યંત દંભી છે. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં પારદર્શકતા છે.જેવા છે તેવા જ દેખાય છે.આપણા સમસ્ત સમાજની માનસિકતામા આમૂલ પરિવર્તન ની જરૂર છે.


સાભાર :-

FB Post

Thursday, March 21, 2024

STD 12 NEW PAPER STYLE

<![if !supportTabStrip]> <![endif]> <body> <p>This page uses frames, but your browser doesn't support them.</p> </body>